Pages

Saturday, December 1, 2012

વિઝા ની કેટેગરી જોઈ લેવીજોઈએ..



ગીર નાં જંગલ માંથી એક સિંહ ને પ્રાણીસંગ્રહાલયમાં લાવવા માં આવ્યો.
વન માં બેહદ રીતે વિહાર કરતો સિંહ પીંજરા માં એવી રીતેકેદ થયી ગયો જાણે કોઈ
ગરીબ બાપ ની રૂપાળી દીકરી અમીર નાં બંગલા માંબંદીવાન બને છે.
જમવા નો સમય થયો એટલે સિંહ ને વજન પ્રમાણે માંસઆપવા માં આવ્યું.
… સિંહે ડીશ હડસેલી ને ત્રાડ નાખી,
” હું જંગલ નો રાજા છું, કોઈ ડાયાટીશિયન ની હડફટે ચડેલો મiણસ નથી,
કે જોખી જોખી ને – તોળી તોળી ને જમવા બેસું !! બીજું, હુંભૂખ લાગે ત્યારે શિકાર
ની પાછળ દોડી ને- તેની સાથે યુદ્ધ કરી ને , તેને મારી ને–મેહનત કરી ને માંસ
ખાવા નો આદિ છું. મારે કયા જનમ નાં પાપ ની ડીપોઝીટપાકી કે મારે બીજા નું
મારણ કરેલું ખાવું પડે છે ? મન` મહેરબાની કરી ને મુક્તકરો નહિ તો હું આપઘાત કરી લઈશ ……!!!!!!!!”
સિંહે આત્મવિલોપન ની ચીમકી આપી એટલેઝૂ મેનેજર બોલ્યા ,
” મુક્ત વિહાર કરવા નું તો તારા નસીબ માં નથી પરંતુઅમે થોડાક પ્રાણિયો ને અમેરિકા મોકલવા ના છીએ. તેમાંહું તારૂ નામ ગોઠવી આપીશ.
ગમે તેમ તને વિઝા અપાવી દઈશ. “
સિંહ ભારતીય હોવાથી તેના લોહી માં બિન-ભારતીયથવાની
તાલાવેલી હતી જ. તેથી સિંહે તેની કક્ષા થી નીચે ઉતરી નેબે
પગે ઉભા થઇ એવી રીતે સલામ ભરી કે જે રીતે
દીકરી ને પરદેશ પરણાવવા માટે ગમે તે કરવા તૈયાર
થયેલો બાપ પોતાના વેવાઈ ને સલામ કરે છે !!
સિંહ માટે ઝંખના માર્ગ બની ગઈ અને તે અમેરિકા પોહચીગયો.
નો સમય થયો એટલે ગોરો ઝૂ-કર્મચારી બે ડઝન કેળા
આપી ગયો ! સિંહ ને થયું કે આજે કદાચ અગીયારસ હશેઅને ઇન્ડિયન કરતા
એન- આર – આઈ વધુ ધાર્મિક હોવાથી ગોરો મનેઉપવાસ કરાવવા
માંગે છે. સિંહે પેહલા દિવસે તો ધોળિયા ની શરમેધરમ કરી લીધો.
પરંતુ બીજા દિવસે ફરી પાછું જમવા માં કેળા આવ્યા એટલેસિંહે ત્રાડ પાડવા ને બદલે
(આમેય ત્યાં ત્રાડ નાં પાડી શકાય ભાઈ) સભ્યતા થી કારણ
પૂછ્યું ત્યારે ગોરા કર્મચારી એ જવાબ આપ્યો,
**
” તમને
વાંદરા નાં વિઝા પર લાવવા માં આવયા છે. !!!!!

No comments:

Post a Comment